Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના ભરાડા ગામે વીજળી પડતાં એક યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના ભરાડા ગામે વીજળી પડતાં એક યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: ચોમાસુ શરૂ થતાં જ વીજળી પડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વીજળી પડવાનો વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે બન્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડી હતી. વીજળી પડતાં ભીખાભાઈ લાલાભાઈ ભરવાડ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવાયો છે. જ્યારે આ ઘટનામાં રામાભાઈ વિહાભાઈ ભરવાડ અને મેરાજભાઈ રેવાભાઈ ભરવાડ નામના બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વીજળી પડતાં એક વ્યકિતનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments