Team Chabuk-Gujarat Desk: ચોમાસુ શરૂ થતાં જ વીજળી પડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વીજળી પડવાનો વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે બન્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડી હતી. વીજળી પડતાં ભીખાભાઈ લાલાભાઈ ભરવાડ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવાયો છે. જ્યારે આ ઘટનામાં રામાભાઈ વિહાભાઈ ભરવાડ અને મેરાજભાઈ રેવાભાઈ ભરવાડ નામના બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વીજળી પડતાં એક વ્યકિતનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
