Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. આજે ગુરુવારે 20 માર્ચના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર હતા. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ છૂટાછેડાની પુષ્ટિ કરી છે.

બુધવારે, બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે ચહલની અરજી પર ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તેને IPLમાં ભાગ લેવાનો છે. બાર અને બેન્ચ વેબસાઇટ અનુસાર, ‘બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ પણ માફ કર્યો હતો.’ બંને છેલ્લા અઢી વર્ષથી અલગ રહે છે. બંને વચ્ચે 4.75 કરોડ રૂપિયામાં સમાધાન થયાના સમાચાર છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020 ના રોજ થયા હતા.
#WATCH | Mumbai | Choreographer Dhanashree Verma arrives at Bandra Family Court for hearing of divorce proceedings with cricketer Yuzvendra Chahal pic.twitter.com/C6zSbtdM18
— ANI (@ANI) March 20, 2025
#WATCH | Mumbai | Cricketer Yuzvendra Chahal arrives at Bandra Family Court for hearing in his divorce proceedings pic.twitter.com/tltfYsd3hM
— ANI (@ANI) March 20, 2025
આજે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા કોર્ટમાં પહોંચ્યા હતા. બન્ને પોતાના મોં પર માસ્ક પહેરીને કોર્ટ પહોંચ્યા હતા. બન્નેમાંથી એકપણે મીડિયા સામે કોઈપણ વાત કરી ન હતી.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત