Homeગુર્જર નગરીરાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ભાવનગરના 11 લોકોના મોત, બસ ખરાબ થતાં નીચે ઉભા...

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ભાવનગરના 11 લોકોના મોત, બસ ખરાબ થતાં નીચે ઉભા હતા અને ટ્રકે કચડ્યા

Team Chabuk-Gujarat Desk: રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં 11 ગુજરાતીઓના મોત થયા છે. રાજસ્થાનના ભરતપુરમાં અકસ્માત થતાં ગુજરાતના ભાવનગરના 11 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને તંત્રના જણાવ્યા પ્રમાણે હજુ પણ મૃતકોની સંખ્યા વધી શકે છે.

મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના ડીહોરી ગામનાં વતની છે.

rajasthan accident

પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતનાં ભાવનગરથી મથુરા જઈ રહી હતી. આ બસ ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે અચાનક પલટી ગઈ હતી. બસ પલટી ગયા બાદ ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને ઠીક કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે, સવારે લગભગ ચાર વાગે બસમાં થોડી સમસ્યા હતી. આથી બસ હંતારા પુલ પાસે ઊભી હતી. ડ્રાઈવર અને અન્ય એક ડીઝલ લેવા ગયા હતા અને લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઉતરીને બસની પાછળ જઈને ઊભા હતા. આ દરમિયાન ઝડપથી આવતી ટ્રકે બધાને કચડી નાખ્યા હતા. મુસાફરે જણાવ્યું કે તેઓ મંગળવારે રાત્રે 10 વાગ્યે પુષ્કરથી રાત્રિભોજન કરીને વૃંદાવન જવા રવાના થયા હતા. બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા.

મૃતકોના નામ

અંતુભાઈ લાલજીભાઈ ગયાણી- 55 વર્ષ
નંદરામભાઈ મથુરભાઈ ગયાણી- 68 વર્ષ
લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
ભરતભાઈ ભીખાભાઈ
લાલજીભાઈ મનજીભાઈ
અંબાબેન જીણાભાઈ
કંબુબેન પોપટભાઈ
રામુબેન ઉદાભાઈ
મધુબેન અરવિંદભાઈ દાગી
અંજુબેન થાપાભાઈ
મધુબેન લાલજીભાઈ ચૂડાસમા

આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4-4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments