Homeગુર્જર નગરીહળવદના કારખાનામાં દીવાલ તૂટતાં 12 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

હળવદના કારખાનામાં દીવાલ તૂટતાં 12 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

Team Chabuk-Gujarat Desk: મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના બની છે. હળવદ જીઆઈડીસીમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દુઃખદ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 12 જેટલા મૃતદેહ હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તથા ઘાયલોના જલદી સાજા થવાની કામના કરી છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.

મૃતકોના નામ

રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા 
કાજલબેન જેશાભાઈ ગાણસ
દક્ષાબેન રમેશભાઈ કોળી
શ્યામભાઈ રમેશભાઈ કોળી
રમેશભાઈ મેઘાભાઈ કોળી
દિલાભાઈ રમેશભાઈ કોળી
દિપકભાઈ દિલીપભાઈ કોળી
મહેન્દ્રભાઈ
દિલીપભાઈ રમેશભાઈ
શિતલબેન દિલીપભાઈ
રાજીબેન ડાહ્યાભાઈ ભરવાડ
દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ

મૃતકોના નામની યાદી

અનેક લોકો હજુ પણ  દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

આ દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments