Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લો વધુ એક રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ૭૩માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવશે. આ ૨૬મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણીમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય પર્વની ઉજવણીને અનુલક્ષીને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતાં રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવશે. જેનો લાહવો ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને વધુ એકવાર મળશે.
આ ૭૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓમાં જિલ્લા વહીવટી તંત્ર જોતરાયું છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ગરિમામય વાતાવરણ અને સુચારુ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ દ્વારા જુદી-જુદી ૧૫ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.
આ પંદર સમિતિઓમાં સમાવિષ્ટ અધિકારીઓની એક બેઠક વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળી હતી. કલેકટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની ઉજવણીના સંદર્ભે દિશાસૂચક માર્ગદર્શન આપવાની સાથે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા માટે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરે જણાવ્યું કે, ૨૬મી જાન્યુઆરીના ઉજવણીના સંદર્ભે જે ૧૫ સમિતિઓની રચના કરવામાં આવી છે. તે સમિતિઓના અધ્યક્ષ વહેલી તકે એક બેઠક બોલાવી, તેમને સોંપાયેલ કામોની યોગ્ય વહેંચણી કરી લેવામાં આવે, જેથી તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં થઈ શકે સાથે જ એક સુચારુ વ્યવસ્થા સમગ્ર ઉજવણી દરમિયાન જળવાઈ રહે. ઉપરાંત કલેકટરએ ડાયસ પ્લાન, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવા માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી ઉના અને વેરાવળ, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત