Team Chabuk-International Desk: આપણે બાળપણથી એક પ્રશ્ન સાંભળતા આવ્યા છે કે દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું ? આ પ્રશ્નનો અત્યા સુધી કોઈ જવાબ ન હતો. જો કે, હવે આ અશક્ય લાગતા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો ઉકેલ લાવી લોકોની મુંઝવણ દૂર કરી છે એ પણ યોગ્ય તર્ક સાથે.
યુનાઈડેટ કિંગડમના શેફીલ્ડ અને વારવિક યુનિવર્સિટીના પ્રોફેસરે પહેલાં મરઘી આવી કે ઈંડુ ? આ સવાલનો જવાબ શોધવા માટે એક સંશોધન કર્યું. લાંબા સમય સુધી સંશોધન કર્યા બાદ આખરે વૈજ્ઞાનિકોને જવાબ શોધવામાં સફળતા મળી. તેમણે આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો એટલું જ નહીં જવાબને સાબિત કરવા માટે તેમણે તર્ક પણ રજૂ કર્યો.
વૈજ્ઞાનિકોના આ સંશોધનથી સામે આવ્યું છે કે, દુનિયામાં પહેલાં મરઘી આવી અને ત્યારબાદ ઈંડું આવ્યું. સંશોધનમાં દાવો કરાયો છે કે, મરઘી વગર ઈંડું આવવું અશક્ય છે. સંશોધનમાં સામે આવ્યું છે કે, ઈંડાના કવચમાં ઓવોક્લાઈડિન નામનું એક પ્રોટીન હોય છે જેના વગર ઈંડાનું કવચ બની નથી શકતું.
સૌથી મોટી વાત એ છે કે, આ પ્રોટીન માત્ર મરઘીના ગર્ભાશયમાં જ બને છે. એટલે જ્યાં સુધી મરઘી મરઘીના ગર્ભાશયમાં રહેલું આ પ્રોટીનનો ઈંડાના નિર્માણમાં ઉપયોગ નથી થતો ત્યાં સુધી ઈંડું નથી બની શકતું. આ સંશોધનથી એ સ્પષ્ટ છે કે દુનિયામાં પહેલાં મરઘી આવી હતી અને બાદમાં ઈંડુ આવ્યું હતું.
આ સંશોધન કરનારા મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર કોલિન ફ્રીમૈનનું કહેવું છે કે, આ સવાલ લાંબા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો હતો કે, આખરે દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડુ ? આ સવાલનો જવાબ વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે શોધી લીધો છે.
એટલે હવે તમને કોઈ પૂછે કે પહેલાં મરઘી કે ઈંડુ ? તો તમારે મુંઝાયા વગર જવાબ આપી દેવાનો છે. કે ભાઈ પહેલાં દુનિયામાં મરઘી જ આવી હતી. મરઘી વગર ઈંડુ શક્ય નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
