Team Chabuk-Gujarat Desk: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટનારી દીકરીઓના મૃતદેહ ગુજરાતમાં નહીં લવાય. ત્રણે દીકરીઓની અંતિમવિધી હરિદ્વારમાં કરાશે. ભાવનગરની કૃતિ બારડ અને ઉર્વી બારડ તેમજ શિહોરની પૂર્વા રામાનુજનો પરિવાર ઉત્તરાખંડ જવા રવાના થયો છે. હરિદ્વારમાં તેઓ કૃતિ, ઉર્વી અને પૂર્વાને અગ્નિદાહ આપશે.
મહત્વનું છે ત્રણે દીકરીઓ કેદારનાથના દર્શને ગઈ હતી. તેઓ ઉત્તરકાશીથી હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચી હતી. પરત ફરતી વખતે કેદારનાથથી 2 કિલોમીટર દૂર આવેલા ગરૂડ ચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં ત્રણેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. દુર્ઘટનામાં કૃતિનો જન્મદિવસ જ તેની મરણતિથી બની ગયો છે. આજે જ તેનો જન્મદિવસ હતો. ત્રણ જુવાનજોધ દીકરીના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાતની ત્રણ દીકરીઓ ઉપરાંત દુર્ઘટનામાં 1 મુંબઈ અને 2 કર્ણાટકના વ્યક્તિનું મોત થયું હતું.
કૃતિ અને ઉર્વી બંને પિતરાઈ બહેનો હતી. ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને બહેનો ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જેમાં કૃતિ બારડનો આજે જ જન્મદિવસ હતો. તો ઉર્વીના પિતા જયેશભાઇનું એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

મહત્વનું છે કે, કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વહેલીતકે મૃતદેહ ગુજરાત પહોંચે તે અંગે રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર પણ ત્રણે દીકરીઓના મૃતદેહ ગુજરાતમાં વહેલીતકે ગુજરાત પહોંચે તે અંગે પ્રયાસ કરી રહી હતી. જો કે, બાદમાં ઘણા વિચાર-વિમર્શ બાદ પરિવારજનો મૃતકોના અંતિમસંસ્કાર પવિત્ર હરિદ્વારમાં જ કરવાનું નક્કી કર્યું હતું.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટનારા ગુજરાતી યાત્રિકોના પરિજનો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંવેદના વ્યક્ત કરી છે અને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
