Team Chabuk-Gujarat Desk: ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરતા 3 શ્રમિકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. ભરૂચના દહેજમાં આ ઘટના બની છે. દહેજ ગ્રામપંચાયતની હદમાં આવેલ ગટર લાઈનની સફાઈ ચાલી રહી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશન નજીક 4 શ્રમિકો ગટરમાં ઉતર્યા હતા. આ દરમિયાન 3 શ્રમિકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અન્ય એક કામદારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ પણ સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 15 દિવસમાં ભૂગર્ભ ગટર અને ખાળકૂવાની સફાઈ દરમિયાન લોકોના મોતની ત્રીજી ઘટના બની છે. 12 દિવસ પહેલા રાજકોટમાં પણ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ સમયે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
