Homeગુર્જર નગરીરાજકોટમાંથી ઝડપાયા અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સો

રાજકોટમાંથી ઝડપાયા અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સો

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ATSને મોટી સફળતા મળી છે. ATSની ટીમે રાજકોટમાંથી અતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સોને ઝડપી લીધા છે. ત્રણેયને ઝડપીને ATSએ વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ત્રણે શખ્સો રાજકોટની સોની બજારમાં ગોલ્ડ પોલીશનું કામ કરી રહ્યા હતા અને છેલ્લા છ મહિનાથી આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરી રહ્યા હતા. ત્રણે શખ્સો પાસેથી હથિયારો પણ મળ્યા છે. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

હાલ ATS તપાસ કરી રહી છે કે, આ શખ્સો સાથે અન્ય કોણ જોડાયેલું છે ? ઉપરાંત તેઓ તેમના આકાઓ સાથે કેવી રીતે જોડાયેલા હતા સાથે જ ATS એ પણ તપાસ કરી રહી છે કે તેઓ રાજકોટમાં કોઈ મોટા હુમલાની ફિરાકમાં હતા કે કેેમ.

ત્રણેય શખ્સો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. ત્રણેય શખ્સો અલકાયદાથી પ્રભાવિત થઈ તેની સાથે જોડાયા હોવાની પ્રાથમિક વિગતો છે. ઝડપાયેલા શખ્સોનું નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ એ પણ ખુલાસો થયો છે કે, તેઓ રાજકોટમાં મુસ્લિમ ધર્મના યુવાનોનું બ્રેઈનવોશ કરી તેને અલકાયદા સાથે જોડી રહ્યા હતા. એટલે એ પણ તપાસનો વિષય છે કે, છેલ્લા છ મહિનામાં ત્રણેય શખ્સોએ કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે.

ઝડપાયેલા શંકાસ્પદ આતંકી

3 શખ્સ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. સાથે જ ત્રણે ત્રણ આરોપીઓને એટીએસ અમદાવાદ લાવશે અને વધુ પૂછપરછ કરશે.

3 persons connected with Al-Qaeda arrested from Rajkot

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments