Team Chabuk-Gujarat Desk: વિદ્યા સહાયકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી જે ભરતીની માંગ થઈ રહી હતી તે અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. આજે શિક્ષણમંત્રી દ્વારા ટેટ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. વાઘાણીએ જણાવ્યું કે, હાલ શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે. ત્યાર બાદ ફોર્મ ભરાવાના શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન કરી દેવામાં આવશે.
જો કે જિલ્લાફેર અંગે તેમણે જણાવ્યું કે, હાલ આ કેસ હાઇકોર્ટમાં છે. નિર્ણય આવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર તત્કાલ ભરતી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દેવાશે. TET પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી ટેટની પરીક્ષા નથી લેવામાં આવી. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. શક્ય તેટલી ઝડપથી ભરતી પુર્ણ થાય તેવો પ્રયાસ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
