Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. એક પોલીસ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. હચમચાવી દેતી આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્ની અને દીકરી સાથે રાત્રે બે વાગ્યે એપાર્ટમેન્ટના બારમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના દીવા હાઈટ્સમાં બની છે. જેમાં ત્રણેયે એપાર્ટમેન્ટના બારમા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનું પગલું ભરી લેતાં પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કુલદીપસિંહ યાદવે પત્ની રિદ્ધિબેન તથા 3 વર્ષની દીકરી આકાંક્ષા સાથે મોડી રાત્રે બે વાગ્યે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સોલા હાઈકોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ પરિવારે આત્મહત્યા કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે. સરળ અને શાંત સ્વભાવના કુલદીપસિંહ યાદવે કેમ આવું પગલુ ભર્યું તે સમજી શકાયું નથી. તેઓ ભાવનગરના સિહોર પાસેના વડીયાના રહેવાસી હતા, અને પત્ની અને દીકરી સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હતા. કુલદીપસિંહની પડોશમાં જ તેમના સગા બનેવી રહે છે, જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ જાણ ન હતી કે કુલદીપસિંહ પરિવાર સાથે આવું પગલું ભરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
