Team Chabuk-Gujarat Desk: ભાવનગરના વલ્લભીપુર નજીક આવેલા મેવાસા ગામ ખાતે જીવલેણ અકસ્માત સર્જાયો છે. ઘાસચારો ભરેલું આઈસર પલટી જતાં 6 લોકોના મોત થયા છે. ઘાસચારો ભરીને જઈ રહેલા આઈસર ટ્રકનું ટાયર ફાટતાં આઈસર પલટી મારી ગયું હતું. આઈસર પલટી જતાં દબાઈ ગયેલા 6 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી માહિતી પ્રમાણે મેવાસા ગામ તરફથી વલ્લભીપુર તરફ આઈસર ટ્રક આવી રહ્યો હતો તે વેળાએ આ દુર્ઘટના બની હતી. આઈસરમાં લીલી કડબ ભરી હતી. અને આઈસરમાં 15 જેટલા મજૂરો સવાર હતા. તે દરમિયાન અચાનક ટાયર ફાટતા આઈસર પલટી મારી ગયું હતું અને તમામ લોકો લીલી કડબ નીચે દબાઈ ગયા હતા. જેમાં 6 લોકોના મોત થયા છે. તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી છે તેથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
