Homeગામનાં ચોરેHelicopter crash: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઈલટ અને 5 શ્રદ્ધાળુઓના મોત

Helicopter crash: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઈલટ અને 5 શ્રદ્ધાળુઓના મોત

Team Chabuk-National Desk: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ અને 5 શ્રદ્ધાળુઓ એમ કુલ 7 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહતકાર્ય શરૂ કરી દેવાયું હોવાનું જણાવ્યું છે.

આજે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. એ ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું છે. આ દુર્ઘટના એવા સમયે બની છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.

કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવ્યું હતું. અમને કહેવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો જ સવાર હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments