Homeગામનાં ચોરેઅદાણી ગ્રુપમાં 43,500 કરોડ રોકનારી ત્રણ કંપનીઓનાં હાથ આ કારણે દાઝી ગયા

અદાણી ગ્રુપમાં 43,500 કરોડ રોકનારી ત્રણ કંપનીઓનાં હાથ આ કારણે દાઝી ગયા

Team Chabuk-National Desk: નેશનલ સિક્યૂરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંડના એકાઊન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડે અદાણી ગ્રુપની કમ્પનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેથી અદાણી સમૂહની કંપનીઓનાં શેર તળિયે બેસી ગયા છે.

NSDLએ Albula ઈનવેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈનવેસ્ટમેન્ટ ફંડના એકાઊન્ટ ફ્રિજ કરી દીધાં છે. ડિપોઝીટરીની વેબસાઈટનાં અનુસાર આ એકાઊન્ટ 31 મેના રોજ કે એની પહેલા જ ફ્રિજ કરી દેવામાં આવ્યા હતા.

આ સમાચારના કારણે અદાણી ગ્રુપની કમ્પનીના શેર આજે તળિયે આવી ગયા છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેયર 15 ટકા તૂટીને 1361.25 રૂપિયાએ પહોંચી ગયો છે. અદાણી પોર્ટ્સ એન્ડ ઈકોનોમિક ઝોન 14 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકાનો કડાકો બોલી ગયો છે.

અત્યાર સુધી આ અંગે અદાણી ગ્રુપ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. આ ત્રણે ફંડ મોરેશિયસના છે અને સેબીમાં તેને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારનાં રૂપે અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશન 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે.

ઈકોનોમિક ટાઈમ્સની ખબર મુજબ માલિકીના વિશે પર્યાપ્ત જાણકારી ન દેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અકાઉન્ટ ફ્રિઝ થવાનો અર્થ છે કે ફંડ હવે ન તો પોતાના ખાતાના શેયર વેચી શકે છે અને ન તો શેયર ખરીદી શકે છે. વિદેશી રોકાણકારોને હેન્ડલ કરનારી ડિપોઝીટરીએ કહ્યું કે મની લોન્ડ્રિંગ રોધી કાનૂન (PMLA) હેઠળ આ એકાઊન્ટમાંથી ફાયદો ઉઠાવનારા સ્વામિત્વ વિશે પર્યાપ્ત જાણકારી ન દેવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટોડિયન સામાન્ય રીતે પોતાના ગ્રાહકોને આ પ્રકારની કાર્યવાહી પહેલા એક નોટિસ પાઠવે છે. જોકે ફંડથી કોઈ જવાબ ન મળવા પર અકાઊન્ટને ફ્રિજ કરવાની સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments