Team Chabuk-Gujarat Desk: વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે એસએશજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ રસૂલપુર ગામે ફરવા ગયા હતા. વહેલી સવારે તેઓ પિકનિક માટે નીકળ્યા હતા. સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ત્રણ વિદ્યાર્થીઓ તણાયા હતા. બીજા કેટલાક વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા.
નદીના પાણીમાં તણાઈ જતાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીના મોત નિપજ્યા છે. પાણીમાં તણાઈ જતાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીના નામ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહ છે. ઘટના બન્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ તુરંત ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. ગ્રામજનોએ બન્ને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને એક વિદ્યાર્થીને બચાવી લીધો હતો.
બન્ને વિદ્યાર્થીઓને બહાર કાઢીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા. મૃતક વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે. બન્ને વિદ્યાર્થીઓ વડોદરાની એસએસજી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં તબીબનો અભ્યાસ કરી રહ્યા હતા. બન્ને મૃતક વિદ્યાર્થીના પરિવારને ઘટના અંગેની જાણ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત