Homeગુર્જર નગરીજૂનાગઢઃ રેસ્ક્યૂ દરમિયાન અજગરે પેટમાંથી નોળિયો બહાર કાઢ્યો, દિલધડક વીડિયો વાઇરલ

જૂનાગઢઃ રેસ્ક્યૂ દરમિયાન અજગરે પેટમાંથી નોળિયો બહાર કાઢ્યો, દિલધડક વીડિયો વાઇરલ

Team Chabuk-Gujarat Desk: ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ચોમાસાની મોસમમાં સરીસૃપો દેખા દે એ સામાન્ય વાત છે. ત્યારે આજે જૂનાગઢના (junagadh) કેશોદમાં (keshod) એક અજીબ ઘટના સામે આવી હતી. જૂનાગઢના કેશોદના શેરગઢમાં (shergadh) એક અજગર (python) જોવા મળ્યો હતો. અજગરનું રેસ્ક્યૂ કરતાં સમયે અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં રેસ્ક્યૂ (rescue) સમયે અજગર ગળી ગયેલો નોળિયા બહાર કાઢે છે.

અજગર મોટા મોટા પશુ અને પ્રાણીને પણ ગળી શકવાની ક્ષમતા ધરાવે છે. અનેક વખત આવા બનાવો સામે આવતા રહે છે. એવું પણ માનવામાં આવે છે કે અજગર એક વખત કોઈ પશુ-પ્રાણી કે જીવ જંતુને ગળી જાય પછી ભાગ્યે જ તેને બહાર કાઢે છે. પરંતુ આ હકીકતથી વિપરિત ઘટના જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે સામે આવી છે. શેરગઢ ગામે એક અજગરે ગળી ગયેલા નોળિયાને બહાર કાઢ્યો હતો. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા અને હાલ આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગરમાં અજગરે દેખા દેતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યા બાદ વન વિભાગની ટીમ અજગરનું રેસ્ક્યૂ કરવા માટે કૃષ્ણનગર આવી પહોંચી હતી. છ ફૂટ લાંબા અજગરના રેસ્ક્યૂ દરમિયાન એક અજીબ ઘટના જોવા મળી હતી. રેસ્ક્યૂ સમયે અજગરે અંદર ગળી ગયેલા નોળિયાને બહાર કાઢ્યો હતો. અજગરનું રેસ્ક્યૂ જોવા ઉમટેલા ગ્રામજનોને પણ આ દ્રશ્યો જોઈને કૂતુહલ જાગ્યું હતું.

અજગરનું આ દિલધડક રેસ્ક્યૂ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પ્રકૃતિ પ્રેમીઓ અને ગામ લોકો પણ માની રહ્યા છે અજગર ભાગ્યે જ કોઈ ગળી ગયેલી વસ્તુ બહાર કાઢે છે. ત્યારે શેરગઢના કૃષ્ણનગરમાં જોવા મળેલી ઘટના લોકોને પણ અજીબ લાગી રહી છે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ લોકોને જોવા મળતી હોય છે. અજગરના રેસ્ક્યૂના દિલધડક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે અને શેરગઢ ગામનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

વન વિભાગની ટીમે છ ફૂટ લાંબા અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગના નિયમો પ્રમાણે એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય સરીસૃપો રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. પરંતુ કેશોદના શેરગઢમાં અજગરના રેસ્ક્યૂ દરમિયાન અજગરે ગળી ગયેલા નોળિયાને બહાર કાઢતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments