Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દિનપ્રતિદિન આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. આવો જ એક ચકચારી આત્મહત્યાનો બનાવ વડોદરામાં બની ગયો. જ્યાં ટ્રેન નીચે પડતું મૂકી બે પુરુષોએ મોતને વ્હાલ કરી લીધું હતું. આ બંને કોઈ સામાન્ય વ્યક્તિ નથી. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા એવા ફેક્ટરીના માલિક અને તેમનો પુત્ર છે. આ બેઉએ કોચુઅલ્લી ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનની નીચે પડતું મૂકનારા પિતા-પુત્રના માથા ધડથી અલગ થઈ ગયા હતા. આત્મહત્યાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય દિલીપભાઈ દલાલ કે જેઓ વ્યવસાયે ફેક્ટરીના માલિક હતા. અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દલાલનો મૃતદેહ મારેઠા રેલવે ફાટક નજીકથી મળી આવ્યો હતો. મંગળવારના રોજ સાત વાગ્યાની સાંજે આ બંનેએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યાની જાણ રેલવે સ્ટેશનની આસપાસ રહેલા લોકોને થતાં તેઓ દોડી ગયા હતા અને થોડીવારમાં ભીડ એકઠી થઈ ગઈ હતી.

ઘટનાસ્થળ પર આવેલી પોલીસની ટીમે લોકોને દૂર ખસેડ્યા હતા અને બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં પ્રાથમિક અનુમાન આર્થિક સંકડામણનું લગાવવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિ દિલીપભાઈના પુત્ર વિશે એવી માહિતી મળી રહી છે કે તે અપરણિત હતો અને ઉપરથી માનસિક રીતે બીમાર હતો. બંને સાથે જ રહેતા હતા. તેઓ મકરપુરા ટિકિટ લેવા જઈએ છીએ કહી નીકળ્યા હતા, પણ કોને ખબર કે તેઓ કોઈ દિવસ પરત ફરવાના નહોતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત