Homeગામનાં ચોરે"લોકોને ગુમરાહ કરી રહ્યા હતા ઈમરાન ખાન, મારાથી સહન ન થયું"...

“લોકોને ગુમરાહ કરી રહ્યા હતા ઈમરાન ખાન, મારાથી સહન ન થયું” ફાયરિંગ બાદ બોલ્યો આરોપી

Team Chabuk-InterNational Desk: AFPના રિપોર્ટ મુજબ ઈમરાન ખાન પર ફાયરિંગ કરનારા આરોપીને ઝડપી લેવાયો છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે હુમલાખોરે નિવેદન આપ્યું હતું કે, તે ઈમરાન ખાનની હત્યા માટે આવ્યો હતો. તેણે કહ્યું કે, ઈમરાન ખાન જનતાને ગુમરાહ કરી રહ્યા હતા. જેની સજા આપવા માટે તે આવ્યો હતો.

આ બધુ મે આટલા માટે કહ્યું કે, “લોકોને ગુમરાહ કરી રહ્યા હતા ઈમરાન ખાન. મારાથી આ સહન ન થયું અને મે તેને મારવાનો પ્રયાસ કર્યો. મારવાની સંપૂર્ણ કોશિશ કરી. માત્રને માત્ર ઈમરાન ખાનને અન્ય કોઈને નહીં. મે વિચાર્યું કે ત્યાં અઝાન થઈ રહી છે. અવાજ બહું હતો. એ વિચારીને મને સારું ન લાગ્યું. અચાનક નિર્ણય કર્યો હતો. દિવસથી, સવારથી. જ્યારથી આ લાહોરનું ચાલ્યું છે ત્યારથી મે આ ષડયંત્ર રચ્યું હતું. મારી પાછળ કોઈ નથી. મારી સાથે કોઈ નથી હું એકલો જ છું. હું ઘરેથી એકલો આવ્યો હતો પોતાની બાઈક પર.”

પોલીસના જણાવ્યા અનુસાર ઇમરાન ખાન ગુરુવારે વજીરાબાદ વિસ્તારમાં માર્ચ કાઢી રહ્યા હતા. તે દરમિયાન ઇમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનામાં પગમાં ગોળી વાગવાથી ઇમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે. તેમના મેનેજર સહિત 5 સમર્થકોને પણ ગોળી વાગી છે. ફાયરિંગ બાદ ઇમરાન ખાનના સમર્થક તેમને બુલેટ પ્રૂફ કારમાં ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ ઈમરાન ખાનની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાનના એક સમર્થકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ સિવાય પૂર્વ રાજ્યપાલ ઈમરાન ઈસ્મેલ પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments