Homeગુર્જર નગરીસાળંગપુર: કષ્ટભંજન દેવનો જઉં-બાજરો-જુવારથી અનોખો શણગાર, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સાળંગપુર: કષ્ટભંજન દેવનો જઉં-બાજરો-જુવારથી અનોખો શણગાર, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

Team Chabuk-Gujarat Desk: સાળંગપુર કષ્ટભંજન દેવનો જઉં-દાળિયાના એક-એક દાણા-દાણા પર દાદા-દાદા લખી અનોખો શણગાર કરાયો.

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિતે કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં- દાળિયાના ધાન્યનો દિવ્ય શણગાર ધરાવાયો હતો.

દાદાના સિંહાસનને જઉં- બાજરો-જુવાર વિગરે ધાન્યનો શણગાર કરી સવારે 5:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરાઈ હતી.

ત્યારબાદ સવારે 7:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની એક-એક દાણા પર “દાદા”નું નામ લખી ભક્તોએ આકર્ષક શણગાર કરી ભક્તિ અર્પણ કરી હતી.

મહત્વનું છે કે, હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવત પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments