Team Chabuk-Sports Desk: તાજેતરમાં જ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંતને ગંભીર ઈજા થઈ હતી. હાલ તે ક્રિકેટથી દૂર છે. ઋષભ પંત IPL 2023નો ભાગ નહીં હોય, તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જો કે, ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે… આ પ્રશ્ન યથાવત છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. દાદાએ કહ્યું ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.
સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઋષભ પંતને મેદાનમાં પાછા ફરતા લગભગ 2 વર્ષ લાગી શકે છે. તેણે કહ્યું કે મેં ઋષભ પંત સાથે ઘણી વખત વાત કરી છે. તેમના માટે આ મુશ્કેલ સમય છે. તે અકસ્માત બાદ ઋષભ પંતે સર્જરી કરાવી, મારી શુભકામનાઓ તેની સાથે છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું કે ઋષભ પંતને મેદાનમાં વાપસી કરવામાં એક વર્ષ લાગશે અથવા તો 2 વર્ષ પણ લાગી શકે છે, પરંતુ મને ખાતરી છે કે તે ભારત માટે ફરીથી મેદાન પર ચોક્કસપણે દેખાશે.
વાસ્તવમાં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે, BCCI પ્રમુખ બન્યા બાદ તેમણે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટરનું પદ છોડી દીધું હતું, પરંતુ ફરી એકવાર તેઓ ટૂંક સમયમાં આ જવાબદારીમાં જોવા મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત