Team Chabuk-Gujarat Desk: નવસારીનો એક ચોંકાવનારો અને હ્રદય કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના અબ્રામાં ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. અહીં યુવતીના પ્રેમ સંબંધ વિશે જાણ થતાં યુવતીના પરિવારે પહેલાં તેની ઠંડા કલેજે હત્યા કરી અને બાદમાં તેને આંખમાં એક પણ આંસુ વગર દફનાવી પણ દીધી હોવાનો દાવો છે.
નવસારીના અબ્રામા ગામમાં રહેતી સાહિસ્તા નામની યુવતી સાથે બ્રિજેશ પટેલ નામનો યુવક છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. સાહિસ્તા છેલ્લે 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને સાહિસ્તા શોધવા લાગ્યા હતા. આ ઉપરાંત બ્રિજેશને માર મારવાની ધમકી આપી હોવાનો આરોપ છે.
આ સમયે સાહિસ્તા પોતાના ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી. ત્યારે સાહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સાહિસ્તાનો એકાએક ફોન આવ્યો અને અને કહ્યું હતું કે, ‘તું મને લઈ જા’ અને ત્યારબાદ સાહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે, ‘તું સાહિસ્તાને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે સહિસ્તાને અમને સોંપી દેજે.’
દાવો છે કે, બ્રિજેશે તલવાડા ચોકડી પાસે સાહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિક નામના વ્યક્તિ દ્વારા સાહિસ્તાને પોતાની કારમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સાહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને રવાના કરી દીધો હતો. બીજા દિવસે બ્રિજેશને જાણ થઈ કે સાહિસ્તાની હત્યા કરી દેવાઈ છે. એટલું જ નહીં તેને દફનાવી પણ દેવામાં આવી છે.
આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બ્રિજેશ સાહિસ્તાના મોત અંગે તટસ્થ તપાસની માગણી કરી છે અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ વગર જ યુવતીના મૃતદેહને દફન કરી દેવાયો છે એટલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા પણ બ્રિજેશે માગણી કરી છે.બ્રિજેશે પોલીસને આપેલી અરજીમાં જે આરોપીઓના નામ લખ્યા છે તેમા કેટલાક લોકો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમાંનો એક આરોપી જુગારધામ ચલાવતો હોવાનો પણ દાવો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
