Team Chabuk-Political Desk: ગુજરાતની રાજનીતિના એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં એકબીજાની વિરોધી રહેલી પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બન્ને પક્ષો આગામી લોકસભાની ચૂંટણી ગઠબંધનમાં લડશે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને આ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. બંને પાર્ટી I.N.D.I.A ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, તે ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે.

એટલે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાના તમામ ઉમેદવારો નહીં ઉભા રાખે. બન્ને પક્ષો સહમતિથી બેઠકોની વહેંચણી કરશે અને યોગ્ય ઉમેદવારને ભાજપના ઉમેદવારની સામે ઉભા રાખશે.
તો આ તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતા ભરત ડાંગરે કહ્યું છે કે, જનતા માટે નહીં અંગત સ્વાર્થ માટે આ ગઠબંધન થયું છે. ગુજરાતની જનતા હંમેશા સુશાસન અને વિકાસ સાથે રહી છે. આખો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. જનતા ક્યારેય ગઠબંધનની માયાજાળમાં ફસાશે નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
