Team Chabuk-National Desk: 77મા સ્વાતંત્ર્ય પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો. આ દરમિયાન 21 તોપની સલામી આપવામાં આવી. આ પહેલાં પીએમ મોદી સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર 10મી વખત તિરંગો ફરકાવ્યો છે. લાલ કિલ્લા પરથી સંબોધન કરતા PM મોદીએ મણિપુર હિંસા, રિફોર્મ્સ પર વાત કરી હતી. PM મોદીએ સરકારનાં 10 વર્ષનાં કામોનો હિસાબ આપ્યો હતો.
#WATCH | Prime Minister Narendra Modi hoists the National Flag at the Red Fort in Delhi, on #IndependenceDay pic.twitter.com/lO3SRCM7kZ
— ANI (@ANI) August 15, 2023
આ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશના લોકોને ત્રણ ગેરંટી પણ આપી. પ્રથમ- આગામી થોડા જ વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે. બીજી- શહેરોમાં ભાડાનાં મકાનોમાં રહેતા લોકોને બેંક લોનમાં રાહત મળશે અને ત્રીજી ગેરંટી દેશભરમાં 10 હજારથી 25 હજાર જનઔષધિ કેન્દ્રો ખોલવા અંગેની આપી હતી.
મોદીએ સંબોધનમાં મણિપુર હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને મણિપુરમાં, હિંસાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. માતા- દીકરીઓના સન્માન સાથે રમત રમાઈ. પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર મળી રહ્યા છે.
પોતાના સંબોધનમાં તેમણે મણિપુરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, મણિપુરના લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી જે શાંતિ જાળવી રાખી છે તે શાંતિ આગળ લઈ જાય. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "…This time, natural calamity has created unimaginable crises in several parts of the country. I express my sympathies to all families who faced this…." pic.twitter.com/UgyO5YWK15
— ANI (@ANI) August 15, 2023
પીએમ મોદીએ કહ્યું, મારા પરિવારના સભ્યો, જ્યારે 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવે છે, ત્યારે કેવા પ્રકારની યોજનાઓ મળી છે. પીએમ સ્વાનિધિ યોજના, આવાસ યોજનાનો લાભ મળ્યો. વિશ્વકર્મા જયંતી પર 13-15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે અમે આવતા મહિનામાં વિશ્વકર્મા જયંતી પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું.
PM મોદીએ કહ્યું, આતંકવાદી હુમલામાં ઘટાડો થયો છે. નક્સલવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા અમે ખેડૂતોના ખાતામાં 2.5 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચે, અમે જળ જીવન મિશન પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન 48 વાર મારા પ્રિય પરિવારજનો, 43 વાર સામર્થ્ય, 35 વાર મહિલાઓ-નારીઓ અને 19 વાર સંકલ્પ શબ્દનો પ્રયોગ કર્યો. પોતાના સંબોધનની શરુઆત જ પ્રધાનમંત્રીએ મારા પરિવારજનોથી કરી હતી અને સંબોધન દરમિયાન વારંવાર આ શબ્દનો પ્રયોગ કરતા રહ્યા હતા. આ પહેલાં પ્રધાનમંત્રી મારા દેશવાસીઓ એવા શબ્દનો પ્રયોગ કરતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત