Homeગુર્જર નગરીગીરમધ્યે આવેલા મહાદેવના આ મંદિરે શ્રાવણ અને શિવરાત્રિમાં જ જઈ શકાય છે,...

ગીરમધ્યે આવેલા મહાદેવના આ મંદિરે શ્રાવણ અને શિવરાત્રિમાં જ જઈ શકાય છે, બાકી મહિનામાં છે પ્રતિબંધ

Team Chabuk-Gujarat Desk: ગીરના જંગલમાં કેટલાય ધાર્મિક સ્થળો આવેલા છે. કેટલાક સ્થળો એવા છે જ્યાં જવાની મનાઈ છે. તો કેટલાક સ્થળો અમુક ચોક્કસ સમય સુધી જ ભક્તો માટે ખોલવામાં આવે છે. આવું જ એક સ્થળ છે પાતાળેશ્વર મહાદેવ. પાતાળેશ્વર મહાદેવના મંદિરે ભક્તો શિવરાત્રિના સાત દિવસ અને શ્રાવણ મહિના દરમિયાન જ જઈ શકે છે. બાકીના મહિનાઓમાં દર્શનાર્થીઓ માટે જવાની મનાઈ છે.

પાતાળેશ્વર મહાદેવ ગીરમધ્યે બિરાજીત છે. ગીર જંગલનો આ વિસ્તાર નાગરિકો માટે પ્રતિબંધિત હોવાથી વન વિભાગ દ્વારા વર્ષમાં ફક્ત શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન જ અહીં જવા માટે છૂટ આપવામાં આવે છે.

પાતાળેશ્વર સુધી પહોંચવા માટે ઊના તાલુકાના ગીરગઢડા તાલુકાના બાબરિયા ફોરેસ્ટ રેન્જની ચેક પોસ્ટથી જવું પડે છે. બાબરિયા ચેક પોસ્ટ પરથી યાત્રિકોને પાસ આપવામાં આવે છે. ત્યારબાદ ગીરના જંગલની વચ્ચે બનાવેલા કાચા રસ્તા પરથી પાતાળેશ્વર સુધી પહોંચી શકાય છે. ચોમાસુ હોવાથી વનરાજી ખીલી ઉઠી હોય છે. લીલાછમ જંગલના અદભૂત વાતાવરણને માણતા દર્શનાર્થીઓ મહાદેવના શરણે પહોંચે છે.

ગુરુવાર 17 ઓગસ્ટથી દર્શનાર્થીઓ માટે મંદિર સુધી જવાનો રસ્તો ખુલ્લો મુકાયો છે. 16 સપ્ટેમ્બર સુધી શિવભક્તો પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી શકશે. ત્યારબાદ ફરી આ રસ્તો બંધ કરી દેવાશે.

Pataleshwar mahadev Gir

પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભોજન પ્રસાદ તથા ચા-પાણીનું ભાવિકો માટે આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન પાતાલેશ્વર મહાદેવના દર્શનાર્થે ભાવિકો દૂર-દૂરથી આવે છે. મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

pataleshwar mahadev
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments