Team Chabuk-Gujarat Desk: પાટણના સમી-શંખેશ્વર હાઇવે પર બનેલી ગોઝારી ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાઈવે પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. ત્રણેય મૃતક યુવાનો બનાસકાંઠાના રાધનપુરના હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં કાર આઇસર પાછળ અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર કાર અથડાતાં કાર બોનેટથી લઈને પાછલી સીટ સુધી દબાઈ ગઈ હતી જેના કારણે યુવકો કાર અંદર જ ફસાયા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ગઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. બીજી તરફ એક સાથે ત્રણ યુવાનોના મોતથી તેમના પરિવારજનોમાં માતમ છવાયો છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર જ પરિવારે વ્હાલસોયાને ગુમાવતા પરિવાર હીબકે ચઢ્યો હતો.
પ્રાથમિક તપાસમાં કારની ઝડપ વધુ હોવાનું અનુમાન છે. જે રીતે વાહનોની હાલત જોવા મળી રહી છે તે મુજબ કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું અનુમાન છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

સમી-શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યાં છે. ત્રણેય મૃતક યુવાનો રાધનપુર તાલુકાના વતની હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત