Team Chabuk-National Desk: ભારતના હરિત ક્રાંતિના જનક એવા એમ.એ. સ્વામીનાથનનું (MS Swaminathan) આજ રોજ નિધન થયું છે. સ્વામીનાથને આજે 28 સપ્ટેમ્બરના રોજ 98 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. એમ.એસ સ્વામીનાથન જેમને લોકો પ્રેમથી ગ્રેન ગુરુથી લઈને SMS તરીકે પણ ઓળખતા હતા. તેમના અવસાનથી દેશને એક મોટી ખોટ પડી છે. સમગ્ર વિશ્વ તેમને ભારતમાં હરિયાળી ક્રાંતિના વાસ્તુકાર તરીકે ઓળખે છે. તેમણે દેશના દરેક સામાન્ય માણસ માટે ફાયદાનું કામ કર્યું. તેમણે દેશને અનાજમાં આત્મનિર્ભર બનાવ્યો. સ્વામીનાથન બિયારણના જિનોમ વિશે જેટલું સમજતા હતા, તેટલા જ તેઓ ખેડૂતોની જરૂરિયાતો વિશે પણ જાગૃત હતા.
એમ. એસ. સ્વામીનાથનને 1967માં ‘પદ્મશ્રી’, 1972માં ‘પદ્મ ભૂષણ’ અને 1989માં ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. સ્વામીનાથનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. તેમને 84 વખત માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમને મળેલી 84 ડોક્ટરેટ ડિગ્રીઓમાંથી 24 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવી હતી.

કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ‘ભારતમાં હરિત ક્રાંતિના પિતા’ પણ કહેવામાં આવે છે. 7 ઓગસ્ટ 1925 ના રોજ કુમ્બકોનમ, તમિલનાડુમાં જન્મેલા, એમએસ સ્વામીનાથન વનસ્પતિ આનુવંશિકશાસ્ત્રી હતા. તેમણે પંજાબની સ્થાનિક જાતો સાથે મેક્સીકન બીજનું મિશ્રણ કરીને 1966માં ઉચ્ચ ઉત્પાદકતાવાળા ઘઉંના સંકર બીજનો વિકાસ કર્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
