Team Chabuk-Gujarat Desk: પંચમહાલના ગોધરા હાઇવે પર વહેલી સવારે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ છે. અમદાવાદથી ઈન્દોર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં ખામી સર્જાતા એક બસ ગોધરા દાહોદ હાઇવે પર ઉભી હતી. ત્યારે જ ગોધરા તરફ જતી અન્ય એક ખાનગી બસે તેને પાછળથી ટક્કર મારી હતી. બસની ટક્કર બાદ એક બસ રોડની સાઇડમાં ખાબકી ગઇ હતી. જ્યારે અન્ય બસમાં મોટુ નુકસાન થયુ હતું.
અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બસને ટક્કર મારીને આવતી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી ગઈ હતી.
તમામ 11 ઈજાગ્રસ્ત મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એક બાળક સહિત બે મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અન્ય મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત