મોરબીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. અજાણ્યા વાહનની ટક્કરમાં પતિ-પત્ની અને 3 બાળકો કચડાયા હતા, જેમાંથી 3 લોકોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, મોરબીના માળિયાના નાના દહીંસરા ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઈક પર પતિ-પત્ની અને 3 બાળકો જઈ રહ્યા હતા ત્યારે જ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લઈને ફંગોળ્યા હતા. બાઈકને ટક્કર મારીને પરિવારના 5 સદસ્યોને કચડીને વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં પિતા તથા એક પુત્ર તથા એક પુત્રીનું મોત નિપજ્યું છે, તો એક પુત્રી અને માતાને સારવાર માટે ખસેડાયા છે.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો સ્થળ પર એકઠાં થઈ ગયા હતા અને પોલીસ તથા 108ની ટીમને જાણ કરી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા અને પુત્રીને મોરબી સારવાર માટે ખસેડાયા હતા અહીંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પિતા, એક પુત્ર અને એક પુત્રી એમ કુલ 3 લોકોના મોત નિપજ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત