Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના શક્તિકરણ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.સરકારની આ યોજનાઓ દ્વારા મહિલાઓને રસોડામાં પણ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી અને તેમનું કામ સરળ બનાવવામાં આવ્યું હતું. હવે તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને મફત સોલાર ગેસ સ્ટવ આપવાનું આયોજન સરકારનું છે.
એટલે જ હવે મહિલાઓને રસોડામાં વધુ સુવિધા મળશે, આ યોજના દ્વારા લાયક મહિલાઓને સોલાર સ્ટવ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે સૌર ઉર્જાથી ચાલશે. સોલાર ગેસ સ્ટવથી મહિલાઓને ગેસ ભરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સિવાય તે બિલકુલ ફ્રી હશે. કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં, જેના કારણે બચત પણ થશે. સૌર ગેસ સ્ટવને હાઇબ્રિડ મોડ પર 24 કલાક આરામથી ચલાવી શકાય છે તેવો દાવો છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પાત્ર મહિલાઓને રસોડાને લગતી સુવિધાઓ આપીને બળતણની સમસ્યામાંથી મુક્ત કરવાનો અને લોકોને સૌર ઉર્જા વિશે જાગૃત કરવાનો છે.
મહત્વનું છે કે, મફત સોલાર ગેસ સ્ટવ માટે માત્ર પાત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. આ યોજના અનુસાર જે મહિલાઓની વાર્ષિક આવક રૂ. 2 લાખ 50 હજાર કે તેનાથી ઓછી છે. આ યોજના માટે પાત્ર બનશે. આ યોજના હેઠળ પરિવારની એક જ મહિલાને આ યોજનાનો લાભ મળી શકે છે. અરજી કરવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
PM સૂર્ય ઘર યોજના
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ઓનલાઈન પણ કરી શકાય છે. આ માટે તમારે ‘PM સૂર્ય ઘર યોજના’ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને સોલર કૂકિંગ સ્ટવ લિંક પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે ઓનલાઈન અરજી માટેની લિંક પર ક્લિક કરીને અને અરજી ફોર્મમાં તમામ માહિતી ભરીને અરજી કરવી પડશે. અરજી કરતી વખતે, અરજદારે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત