Team Chabuk-National Desk: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પ્રક્રિયા સંબંધિત સ્કેમ કૉલ્સ અંગે પેન્શનરોને ચેતવણી જારી કરી છે. #StaySafewithSBI પહેલના ભાગ રૂપે, બેંકે પેન્શનરોને સાવચેત રહેવા અને સ્કેમર્સથી તેમની અંગત માહિતીને સુરક્ષિત રાખવા જણાવ્યું છે. SBIએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ કૉલ્સ સ્કેમર્સ તરફથી છે અને પેન્શનરોએ આવા કૉલ્સ પર ધ્યાન આપવું જોઈએ નહીં. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) એ પેન્શન વિતરણ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
1 નવેમ્બર, 2024થી, દેશભરના કરોડો પેન્શનરો જીવન પ્રમાણ અથવા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે, જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. પેન્શનરોએ તેમનું પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે આ જીવન પ્રમાણને પેન્શન વિતરણ સત્તામંડળને સબમિટ કરવાનું હોય છે.
સરકાર અને ઘણી બેંકો પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રો જમા કરાવવા અભિયાન ચલાવી રહી છે. પેન્શનરો વ્યક્તિગત રીતે બેંકની મુલાકાત લઈને અથવા વિવિધ ઓનલાઈન અને ડોરસ્ટેપ સેવાઓ દ્વારા તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે.
#StaySafewithSBI is a united effort to keep all pensioners safe.
— State Bank of India (@TheOfficialSBI) November 4, 2024
Do not entertain any calls from scamsters who pretend to be pension officers and ask for personal details.
Please report suspicious fraud communication by visiting at this link: https://t.co/ejZGMXiS30. Call 1930… pic.twitter.com/m01wUqLQQV
પેન્શનરોએ શું કરવું જોઈએ?
પેન્શનરો SBI ની અધિકૃત વેબસાઇટ સહિત બહુવિધ પ્લેટફોર્મ દ્વારા તેમનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર ઑનલાઇન સબમિટ કરી શકે છે. એસબીઆઈએ આવા કેસની જાણ કરવા માટે સત્તાવાર ચેનલો વિશે પણ માહિતી આપી છે. બેંકે તેના ટ્વીટમાં કહ્યું કે, “જો તમને આવો કોઈ કોલ અથવા મેસેજ મળે, તો તમારી અંગત વિગતો શેર કરશો નહીં. સત્તાવાર પોર્ટલ Sancharsaathi.gov.in પર અથવા 1930 પર કૉલ કરીને તરત જ તેની જાણ કરો.”

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત