Team Chabuk-Gujarat Desk: બોટાદના બરવાળામાં ખાડામાં વરસાદી પાણી ભરાવવાને કારણે ચાર વર્ષના બાળકનું પડી જવાથી મોત થયું છે. આ ઘટના બાદ પરિવાર સહિત સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. દુર્ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ મુદ્દે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બરવાળાના ચોકડી ગામમાં પાણી ભરેલા ખાડામાં બાળક પડી ગયુ હતુ. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે. આ અકસ્માતને કારણે પરિવારની હાલત કફોડી બની હતી.

બાળક કુદરતી હાજતે જતો હતો. ત્યારે તેના રસ્તા પર મોટા ખાડો હતો અને તેમાં વરસાદી પાણી ભરાઇ ગયું હતુ. જેથી બાળકને આ ખાડો ન દેખાતા તે અંદર પડીને ડૂબી ગયું હતુ. સાથે જ આરોપ લગાવ્યો છે કે, લાંબા સમયથી આ ખાડો પડ્યો હતો જેને પુરવા માટે તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત