Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઇને છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે અમુક શહેરોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેને લઇને ખેતરોમાં પાક નુકસાની પણ ભીતિ સેવાઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે આજે અમરેલીના ધારી પંથકમાં આકાશી વીજળીનો કહેર જોવા મળ્યો હતો, જેમાં એક ખેત મજૂરનું મોત થયું છે.
ધારી ખેતરમાં કામ કરતા ખેડૂત ઉપર વીજળી પડતા એકનું મોત થયું છે. ખેતરમાં ત્રણ વ્યક્તિ ખેતીકામ કરતા સમયે વિજળી પડવાની ઘટના ઘટના બની હતી. પાલો ઢાકતા ઉપરથી વીજળી પડીને એકનું મોત થયું હતું જ્યારે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
અમરેલીમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમા સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં અડધો કલાકથી વધુ સમય સુધી વરસાદ શરૂ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત ગાજવીજ સાથે સાવરકુંડલાના વિસ્તારોમાં વરસાદ પડતાં પાક નુકસાનીના ડરને લઇને ખેડૂતોમાં ચિંતા જન્મી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
