Homeગુર્જર નગરીજૂનાગઢના આ વિસ્તારમાં બનશે 2 કરોડના ખર્ચે બગીચો, ટ્રાફિકની સમસ્યાનો પણ આવી...

જૂનાગઢના આ વિસ્તારમાં બનશે 2 કરોડના ખર્ચે બગીચો, ટ્રાફિકની સમસ્યાનો પણ આવી જશે ઉકેલ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં રાજકોટ તરફથી પ્રવેશ કરતાની સાથે જ પ્રથમ દોલતપરા અને ઈગલનો વિસ્તાર આવે છે. ઈગલ પાસે ગણપતિદાદાનું મંદિર હોય વર્ષોથી ભાવિકો અને પ્રવાસીઓ અહીં આવે છે. શનિવાર અને રવિવારની રજાના દિવસે અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. ત્યારે આ લોકોને બે કરોડના બગીચાની સુવિધા મળવાની છે. શહેરના દોલતપરા-ઈગલ ગણપતિ પાસે રૂપિયા બે કરોડના ખર્ચે બગીચો બનાવવામાં આવશે.

2 કરોડના બગીચાના નિર્માણ અંગે અમૃત સ્કિમના નોડલ ઓફિસર અલ્પેશ ચાવડાએ કહ્યું હતું કે, કમિશ્નર રાજેશ તન્નાની સૂચનાથી આ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ કન્ટ્રકશન વર્ક ચાલી રહ્યું છે જે ચોમાસા સુધીમાં પૂર્ણ થશે, બાદમાં પ્લાન્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ બગીચો 5 અલગ અલગ વિભાગમાં બનશે. બગીચાનો સિનીયર સિટીઝનો, બાળકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તેમજ ઇગલ ગપણતિના દર્શને આવતા ભાવિકો લાભ લઇ શકશે. અહીં સારી બેઠક, વોકિંગ તેમજ વોશરૂમની સુવિધા હશે.

બગીચાથી થનારા ફાયદા અંગે વાત કરીએ તો ઈગલ વિસ્તારમાં ગણપતિદાદાનું મંદિર હોવાથી વર્તમાન સમયે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ રહે છે. બગીચામાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગની સુવિધા હશે જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી જશે. બીજું કે રસ્તા પરની લારીઓ પણ બગીચાની અંદર પાર્ક થઈ જશે જેથી રોડ પરની ટ્રાફિકની અગવડતા ભૂતકાળ બની જશે. આ સિવાય અંદર પાંચ કોમર્શિયલ પાર્લર પણ હશે જ્યાં ખાવાપીવાની વસ્તુઓ મળશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments