Team Chabuk-Gujarat Desk: અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણમાં એક પોલીસના ઘરમાં ચોર ધાડ પાડે છે અને કંઈ નહીં ને પોલીસનો ડ્રેસ ચોરીને ચાલ્યો જાય છે. આ નવલકથાએ મજ્જા પાડી દીધી હતી. હવે એક કિસ્સો આણંદમાં નોંધાયો છે. જોકે અહીં પોલીસનો ડ્રેસ ચોરી નથી થયો પણ 1.83 લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા છે. જ્યાંથી ચોરી થયા છે તે આણંદના જીટોડિયના રહેવાસી અને નડિયાદમાં નોકરી કરતા વાયરલેસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર છે. જેમના બંધ મકાનમાં તસ્કરોએ કળા કરી હતી. આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નડિયાદમાં વાયરલેસ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે અશોક સિંધાના ફરજ બજાવે છે. તેમની પત્ની મીતાલીબહેન પણ અમદાવાદમાં એન્જિનિયર છે. પીએસઆઈ સાહેબ અશોક સિંધાએ આણંદના જીટોડિયા ખાતે શરણમ્ બંગ્લોઝમાં મકાન રાખ્યું હતું. તારીખ બીજી જાન્યુઆરીના રોજ મીતાલીબહેન તેમના પિયર ધુવારણ ગયા હતા જ્યારે પતિ અશોકભાઈ ત્રીજી જાન્યુઆરીના રોજ વ્હેલી સવારમાં ત્રણ વાગ્યાની આસપાસ ઘરને તાળું મારી નડિયાદ ગયા હતા. અહીંથી તેઓ તેમના વતન ખડોધી ખાતે પહોંચ્યા હતા.
તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ પીએસઆઈ અશોક સાહેબ અને તેમની પત્ની મીતાલીબહેન પોતાના ઘરે આવ્યા હતા. દરવાજાનું લોક ખોલી અંદર ગયા તો હતભ્રત રહી ગયા હતા. તેમના રૂમનો સામાન વેર વિખેર પડ્યો હતો. અન્ય રૂમની તિજોરીના તાડા તૂટેલા હતા. ઘરની પાછળ આવેલા દરવાજાનો નકુચો તોડી ચોર અંદર ઘુસ્યા હતા અને 1.83 લાખની માલમત્તા ચોરી ગયા હતા. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
