Homeગુર્જર નગરીજૂનાગઢ: પરિણીત મહિલાને ફોનમાં ખરાબ મેસેજ કરનારો ધોરણ 12નો વિદ્યાર્થી નીકળ્યો

જૂનાગઢ: પરિણીત મહિલાને ફોનમાં ખરાબ મેસેજ કરનારો ધોરણ 12નો વિદ્યાર્થી નીકળ્યો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી એક મહિલાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વારંવાર ખરાબ મેસેજ અને ફોન આવતા હોય તેણે આ અંગેની જાણ પતિને કરી હતી. પતિએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યાવાહી હાથ ધરી હતી. જોકે પોલીસ જ્યારે ઘટનાની તપાસ કરી તેના છેડા સુધી પહોંચી તો ચોંકી ગઈ હતી, કારણ કે આરોપી કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોવાની જગ્યાએ ધોરણ 12નો વિદ્યાર્થી હતો. જે ભણવાની ઉંમરે સોશિયલ મીડિયાને રવાડે ચડી જતાં ગેરમાર્ગે દોરાયો હતો અને મહિલાને પજવતો હતો.

સોશિયલ મીડિયાની હકારાત્મક અસર કરતા નકારાત્મક અસરો દિનપ્રતિદિન વધી રહી છે. ઓનલાઈન લૂંટ અને છેતરપિંડીના બનાવો બને છે, તો પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાંના બનાવો પણ અવાર નવાર નોંધાતા રહે છે. જેમાં સૌથી અગ્રક્રમે મહિલાઓની પજવણીનો છે. જૂનાગઢમાં પણ આવો જ એક કિસ્સો નોંધાયો હતો. જ્યાં મહિલાને કોઈ અજાણ્યા ફોન નંબર પરથી ખરાબ મેસેજ આવતા હતા.

મહિલાએ આખરે કંટાળીને પતિને આ અંગે અવગત કર્યાં હતા ત્યારે પતિએ ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની મદદ લીધી હતી. આ કેસમાં આગળ જતા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના હોય એ ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરતા મેસેજ કરનાર 12માં ધોરણમાં અભ્યાસ કરતો સગીર હોવાનું સામે આવ્યું હતું.

જોકે આ કેસનો રાજીખુશી અંત આવ્યો હતો. પરિવારજનો અને વકીલ મિત્રની સાથે પોલીસની સમક્ષ હાજર થયેલા સગીરે તેની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને આગળ જતાં આવું કોઈ કાર્ય નહીં કરે તેની પોલીસને ખાતરી આપી હતી. સામે પોલીસે પણ કિશોરને અભ્યાસમાં ધ્યાન આપવા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી હતી. જૂનાગઢમાં નોંધાયેલો આ કિસ્સો દરેક માતા પિતા માટે હાલ લાલબત્તી સમાન બન્યો છે અને એક વખત ફરી સાબિત થયું છે કે સોશિયલ મીડિયા નામનું અસ્ત્ર કિશોરોના હાથમાં આવતા કેટલી ખતરનાક ભૂમિકા ભજવે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments