Team Chabuk-Gujarat Desk: મહીસાગરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણ યુવાનોમાંથી બે સગા ભાઇ હતા. એક સાથે બે સગા ભાઇઓના અકાળે મૃત્યુના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મહીસાગરમાં સંતરામપુરના વડતળાવ નજીક અકસ્માત સર્જાયો હતો. ત્રણ યુવાનો બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે જ કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના સ્થળ પર મોત થયા હતા અને અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માત કેવી રીતે સર્જાયો અને બાઇકને કોણે ટક્કર મારી? તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટક્કર મારીને ફરાર થનાર વાહનચાલકનો પતો મેળવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે સંતરામપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો