Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. પાટનગર ગાંધીનગરના રાંધેજા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 5 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા દુર્ઘટના સર્જાઈ હતી. કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મળેલી વિગતો પ્રમાણે 6 યુવાનો માણસથી પેથાપુર મૂવી જોવા આવ્યા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ધડાકાભેર કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ઝાડ સાથે અથડાતા જ કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.
મૃતકોના નામ
મોહોમ્મદ અલ્ફાઝ
સલમાન ચૌહાણ
સાહિલ ચૌહાણ
મોહમ્મદ બેલીમ
અસ્ફાક ચૌહાણ
ઇજાગ્રસ્ત
શાહનવાબ ચૌહાણ

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત