Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. પાટનગર ગાંધીનગરના રાંધેજા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 5 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા દુર્ઘટના સર્જાઈ હતી. કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મળેલી વિગતો પ્રમાણે 6 યુવાનો માણસથી પેથાપુર મૂવી જોવા આવ્યા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ધડાકાભેર કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ઝાડ સાથે અથડાતા જ કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.
મૃતકોના નામ
મોહોમ્મદ અલ્ફાઝ
સલમાન ચૌહાણ
સાહિલ ચૌહાણ
મોહમ્મદ બેલીમ
અસ્ફાક ચૌહાણ
ઇજાગ્રસ્ત
શાહનવાબ ચૌહાણ

તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો