Homeગુર્જર નગરીરાધનપુર - વારાહી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 6 લોકના મોત, હાઈવે પર...

રાધનપુર – વારાહી હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 6 લોકના મોત, હાઈવે પર માતમ છવાયો

Team Chabuk-Gujarat Desk: પાટણના રાધનપુર-વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત થયો હતો. પીપળી પાટિયા નજીક ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા છે. અન્ય ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માત એટલો દર્દનાક હતો કે, હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા. રાધનપુર પોલીસ ઘટના સ્થળપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુરના વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો. જેમાં એક જીપ ટ્રકમા ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, જીપના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. જેના બાદમાં જીપમાં સવાર લોકોના મોતથી હાઈવે પર માતમ છવાયો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments