Team Chabuk-Gujarat Desk: અમદાવાદ રિવરફ્રન્ટ પાસે આવેલી આરબીઆઈ બેન્ક નજીક એક યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની માહિતી મળતા યુવક અને યુવતીને બચાવવા માટે તરવૈયાઓ ઘટનાસ્થળે આવી નદીમાં કૂદી પડ્યા હતા. જોકે આ બંનેની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટની પોલીસ આવી પહોંચી હતી અને યુવક અને યુવતીના મૃતદેહનો કબ્જો લીધો હતો.

મૃતકો વિશે પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીનું નામ ગુનગુનબહેન છે અને તેની વય 19 વર્ષની છે જ્યારે યુવકનું નામ રાકેશ છે અને તેની વય 21 વર્ષની છે. આ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ પરિવારજનોએ લગ્નની પરવાનગી આપી નહોતી. જેથી તેઓ ઘરેથી ભાગી ગયા હતા. બેઉં ઘરેથી ભાગી ગયાની જાણકારી બંનેના પરિવારજનોને પણ મળી હતી. પરિવારજનોએ ભેગા મળી બેઉંને હંમેશ માટે ભેગા કરી દેવાનું સહમતિથી નક્કી કર્યું હતું.

જોકે પરિવારના લોકો તેમને શોધે, આ ખુશીના સમાચાર તેમના કાન અને હ્રદયને આપે, તેમના ગોળધાળા ખાય અને રંગેચંગે લગ્નનો આનંદોત્સવ ઉજવાય એ પહેલા જ કારમા આઘાત સમા સમાચારે બેઉં પક્ષને હચમચાવીને રાખી દીધા હતા. બંનેએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદી કાયમ માટે આ જગતને અલવિદા કહી દીધું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત