Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એસજી હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. શહેરના હેબતપુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના રોડ પર પૂરપાટ ઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઈ. જે બાદ પલટી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર છ યુવાનો પૈકી ત્રણનાં મોત થયા છે. જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. કારચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ ઓવરસ્પીડમાં જઇ રહેલી કાર ડિવાઇર સાથે અથડાઇને વીજ પોલ સાથે ટકરાઇ હતી. ચાર-પાંચ વખત પલટી ગઈ ઙતી. જે બાદ ફંગોળાઇને સામેના રોડ પર પટકાઇ હતી.
મળતી માહિત મુજબ નવા વાડજમાં રહેતા છ મિત્રો રાહુલ પ્રજાપતિ, નરેશ પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ અને નિમેષ સોમવારે રાત્રે દોઢેક વાગ્યે કાર લઇને કર્ણાવતી ક્લબની સામે અમદાવાદ ફૂડ પાર્કમમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને રાત્રે ત્રણેક વાગ્યે ઘર તરફ પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. દાવો છે કે, કાર નિમેષ ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં નરેશ, મિતેશ અને કૌશલનું મોત થયું છે. જ્યારે પ્રવીણ અને રાહુલને ગંભીર ઇજા પહોંચી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત