Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એસજી હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. શહેરના હેબતપુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના રોડ પર પૂરપાટ ઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઈ. જે બાદ પલટી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર છ યુવાનો પૈકી ત્રણનાં મોત થયા છે. જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. કારચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ ઓવરસ્પીડમાં જઇ રહેલી કાર ડિવાઇર સાથે અથડાઇને વીજ પોલ સાથે ટકરાઇ હતી. ચાર-પાંચ વખત પલટી ગઈ ઙતી. જે બાદ ફંગોળાઇને સામેના રોડ પર પટકાઇ હતી.
મળતી માહિત મુજબ નવા વાડજમાં રહેતા છ મિત્રો રાહુલ પ્રજાપતિ, નરેશ પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ અને નિમેષ સોમવારે રાત્રે દોઢેક વાગ્યે કાર લઇને કર્ણાવતી ક્લબની સામે અમદાવાદ ફૂડ પાર્કમમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને રાત્રે ત્રણેક વાગ્યે ઘર તરફ પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. દાવો છે કે, કાર નિમેષ ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં નરેશ, મિતેશ અને કૌશલનું મોત થયું છે. જ્યારે પ્રવીણ અને રાહુલને ગંભીર ઇજા પહોંચી છે.

તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?