Team Chabuk-Special Desk: હિંદૂ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં સવારમાં કરવામાં આવતા કેટલાક કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કેટલાક કાર્યો એવા પણ હોય છે જેને સવારમાં કરવા અશુભ માનવામાં આવે છે. આ કાર્યોની નકારાત્મક અસર આપણા જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી કેટલાક કામ ન કરવા જોઈએ કારણ કે તેની નકારાત્મક અસર જીવનમાં જોવા મળે છે.
સવારે ઉઠીને એંઠા વાસણ જોવા
વહેલી સવારે એંઠા વાસણ જોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ કારણે જીવનમાં નકારાત્મક ઉર્જા હાવી થઈ જાય છે. એંઠા વાસણો જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે. રસોડામાં એંઠા વાસણો આખી રાત રાખવાથી જીવનમાં દરિદ્રતા આવે છે. વહેલી સવારે આ એંઠા વાસણો જોવાથી કામ બગડી જાય છે. જો કોઈ કારણોસર તમે રાત્રે એંઠા વાસણો સાફ નથી કરી શકતા તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે તમારી નજર તેના પર ન જાય.

પડછાયો ન જુઓ
સવારે વહેલા ઉઠીને પોતાનો પડછાયો ન જોવો જોઈએ. નહીં તો તે નકારાત્મક ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે સવારે પોતાનો પડછાયો જોવાથી જીવનમાં માનસિક તણાવ વધે છે અને સ્વભાવમાં નકારાત્મકતા આવવા લાગે છે. જેના કારણે ઘરમાં ચીડિયાપણું અને ઝઘડો પણ વધે છે. સવારે ઉઠતાની સાથે જ પ્રયાસ કરો કે કોઈ જંગલી પ્રાણીની તસવીર પર તમારી નજર ન પડે. આની નકારાત્મક અસરો પણ થાય છે.
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?