Homeગુર્જર નગરીઅમદાવાદઃ શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી

અમદાવાદઃ શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા પાર્થ પટેલ નામના ડોક્ટરે આજે વહેલી સવારે હાથમાં ઈન્જેક્શન મારીને પોતાની હોસ્ટેલમાં જ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કરી લીધું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સાથે સેવા આપતા અન્ય રેસિડેન્ટ ડોકટરોએ સવારે નાસ્તો કરવા  માટે પાર્થ પટેલને બોલાવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો. તેથી હોસ્ટેલના રૂમમાં જઈને તપાસ કરતાં પાર્થ પટેલે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ શહેરકોટડા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં ડોક્ટરોએ પાર્થ પટેલને મૃત જાહેર કર્યો હતો. 

shreeji dhosa

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે પાર્થ પટેલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને શારદાબેન હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરતો હતો. પરંતુ છેલ્લા દોઢેક માસ અગાઉ પાર્થ પટેલની નક્કી થયેલી સગાઇ તૂટી જતા આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે. પાર્થ પટેલ મૂળ ગાંધીનગરના લવારપુર ગામનો રહેવાસી હતો અને શારદાબેન હોસ્પિટલની હોસ્ટેલમાં રહીને ડોક્ટરનો અભ્યાસ કરતો હતો, પરંતુ સગાઈ તૂટી જતાં આઘાત લાગતા આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે પણ હાલ તો અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments