Team Chabuk-Gujarat Desk: ઉનાળાની સિઝનમાં લોકો ઘરમાં આખા વર્ષનું રાશન ભરતાં હોય છે. ત્યારે ઘણા ભેળસેળીયા વેપારીઓ ગ્રાહકોને છેતરીને ભેળસેળયુક્ત માલ પધરાવી દેતાં હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં મસાલાની સિઝન પૂરબહારમાં ખીલી છે અનેક સ્થળોએ મસાલા માર્કેટ શરૂ થઈ છે. જેમાં મસાલાના પાઉડર, હળદરમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. જેથી આવા ભેળસેળીયા વેપારીઓ ઉપર તંત્રએ તવાઈ બોલાવી છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા શ્રી રામ મસાલા માર્કેટમાંથી મરચાના પાઉડરમાં કેમિકલ, હળદરમાં સ્ટાર્ચ પાઉડરની ભેળસેળ સામે આવતાં 350 કિલોગ્રામ ભેળસેળયુકત મસાલા તથા સડેલા મરચાના જથ્થાનો નાશ કરાયો છે.

નાના મવા સર્કલ પાસે શ્રી રામ મસાલા માર્કેટમાં ફૂડ વિભાગની ટીમ તથા ફૂડવાન દ્વારા મસાલાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળ ઉપર પ્રાથમિક ટેસ્ટીંગ વાન દ્વારા ચકાસણી હાથ ધરાતા મરચાના પાઉડરમાં ઓઈલબેઝ કેમિકલ તેમજ હળદરમાં સ્ટાર્ચ પાઉડરની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું.
ઉપરાંત અધિકારીઓએ મસાલા માર્કેટની તપાસ કરતાં સ્થળ ઉપરથી સડેલા અને જીવાત તથા ફૂગવાળા અંદાજે 264 કિલોગ્રામ સૂકા મરચા મળી આવ્યા હતા. આ અંગે મસાલા માર્કેટના માલિક ભાવેશભાઈ વિઠ્ઠલાણીની પૂછપરછ કરતાં સડેલા મરચામાં કલર નાંખી પલ્વલાઈઝર મરચું પાઉડર વેંચવામાં આવતું હોવાની કબુલાત આપી હતી. અધિકારીઓએ સ્થળ ઉપરથી તૈયાર મરચું પાઉડર 88 કિલોગ્રામ તથા 19 કિલોગ્રામ ભેળસેળ યુકત હળદર મળી આવ્યા હતા. આમ તંત્રએ ભેળસેળ યુકત મસાલો, સડેલા મરચા મળીને અંદાજીત 350 કિલોગ્રામ પદાર્થનો નાશ કરાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
