ઉમંગ બારોટ: અમદાવાદ જિલ્લા પંચાયતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ૭,૩૯,૭૬૩ ઘરોને છેલ્લા એક વર્ષમાં સેનિટાઇઝ કર્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતે ગત વર્ષે ૩ મે ના રોજ એક સાથે ૪૬૪ ગામ સેનિટાઇઝ કરી કોરોના નિયંત્રણની પ્રભાવક રીત અમલમાં મુકી હતી. સાણંદ, વિરમગામ, બાવળા, ધોળકા, ધંધુકા, બારેજા તાલુકા મથકો અને ૪૬૪ ગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાની આશરે ૩૪,૫૯,૫૬૦ વસ્તીને એન્ટિવાઇરસ કામગીરી – સેનિટાઇઝેશન થકી સુરક્ષીત કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના જણાવ્યા મુજબ જિલ્લાના કુલ ૧૮૯ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૨૫ સુપરવાઈઝર અને મેલેરિયા શાખાના ૧૦ કર્મીઓ છેલ્લા એક વર્ષથી માસ સેનિટાઈઝેશનની કામગીરીમાં જોડાયેલા છે. જરૂર પડ્યે આ કર્મીઓ રાજાના દિવસોમાં પણ ફરજ પર તૈનાત રહે છે.
જિલ્લા આરોગ્ય અધિકારી નરેન્દ્ર રાઠોડ જણાવે છે કે, બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનની મદદ વડે ગામે ગામ સેનિટાઇઝ કરતી ટીમ કોરોના વાઇરસ માટે ચેઝ એન્ડ એલિમિનેટની રણનિતી અપનાવે છે. અમદાવાદ જિલ્લા પંચાયત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સેનિટાઇઝેશન કામગીરી સંભાળે છે.
તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ એક ટીમને કોલ્ડુ ફોગર મશીન તથા બે નેપસેક પંપ સહિતના જરૂરી સાધનો ફાળવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ મળે કે તુરંત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જે-તે વિસ્તાથરમાં સેનિટાઇઝેશનની સમયસર કામગીરી કરવામાં આવે છે.
વ્હીકલ માઉન્ટેડ મશીન એટલે કે વોટર કેનન ફોગર મશીનનો ઉપયોગ કરી જાહેર રસ્તા સેનિટાઇઝ કરાય છે. વોટર કેનન ફોગર મશીન ૧૦૦૦ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી ધરાવે છે, જેમાં ૧% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુગશન વાપરવામાં આવે છે. સેનિટાઇઝેશન કામગીરીથી વાયરસનો નાશ થાય છે. જે કોરોના અટકાયતી પગલાં માટેની એક અગત્યની કામગીરી છે.
કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. કોવિડ૧૯ દર્દીના ઘરમાં તથા ઘરની આજુબાજુ સેનિટાઇઝેશન એટલે કે જીવાણુનાશક દવાનો છંટકાવ એ સંક્રમણ ખાળવાનો કારગર ઉપાય છે. સેનિટાઇઝેશનથી વસ્તુ-જગ્યાની સપાટી(સરફેસ) પર રહેલા વાયરસનો નાશ થાય છે.
સેનિટાઇઝેશનના પ્રકારો કેટલા ?
સેનિટાઇઝેશન એટલે સરફેસ-સપાટી પર રહેલા બેક્ટેરિયા ,વાયરસ, ફંગી જેવા જીવાણુંઓનો નાશ કરવો.
સેનિટાઇઝેશન ૩ રીતે કરવામાં આવે છે.
(૧) થર્મલ સેનીટાઇઝેશન – જેમાં ગરમી (હીટ) વડે જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.
(૨) રેડીએશન સેનીટાઇઝેશન- જેમાં અલ્ટ્રાવાયોલેટ(પારજાંબલી) વિકિરણો દ્વારા જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.
(૩) કેમીકલ સેનિટાઇઝેશન- જેમાં જીવાણુનાશક ૧% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુવશન કેમીનો છંટકાવ કરી જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે. માસ સેનિટાઇઝેશનની કામગીરી માટે કેમીકલ સેનીટાઇઝેશન અત્યંત પ્રભાવક છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર