Team Chabuk-Gujarat Desk: અમરેલીના ચલાલાની હરિધામ સોસાયટીમાં મકાનના બેડરૂમમાં આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દુર્ઘટના નથી પરંતુ માતાએ બેડરૂમમાં પોતાની બે દીકરીઓ સાથે આત્મહત્યા કરી લીધી છે. બે દીકરીઓમાં એક દીકરીની ઉંમર 14 વર્ષ છે જ્યારે બીજી દીકરીની ઉંમર માત્ર 2 મહિના જ છે. ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિંખાઈ ગયો છે.
આ મુદ્દે પોલીસે સાવરકુંડલા DySP કે.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મકાનમાં માતાએ પોતાની બે પુત્રી સાથે આત્મત્યા કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઘરકંકાસના કારણે માતાએ દીકરીઓ સાથે કેરોસીન છાંટી જીવન ટૂંકાવી લીધુ છે. હાલ ત્રણેના મુતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ દ્રષ્ટીએ આ એક દુર્ઘટના હોવાનું સામે આવ્યું હતું. હરિધામ સોસાયટીમાં એક મકાનમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતાં પાડોશીએ મહિલાના પતિને જાણ કરી હતી. તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની ટીમને પણ બોલાવાઈ હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ ઘટનામાં 40 વર્ષીય મહિલા અને તેની બે પુત્રીઓ ભડથું થઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. હવે પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના નહીં પણ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત