Homeગુર્જર નગરીરાજકોટઃ એક બેદરકારીના કારણે માસૂમ બાળકીનું મોત !

રાજકોટઃ એક બેદરકારીના કારણે માસૂમ બાળકીનું મોત !

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો બન્યો. શહેરના મોટામવા વિસ્તારમાં આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં 3 વર્ષની બાળકીનું ટાંકામાં પડી જતા મોત થયું. સમગ્ર ઘટનાથી સોસાયટીમાં શોકનું માહોલ છવાઈ ગયું છે.

એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની બાળકીનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત થયું છે. નેપાળી પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર જ રૂમમાં રહેતો હતો અને પાણીનો ટેન્કર ખાલી કરીને ટેન્કર ચાલક ઢાંકણું ખૂલ્લું મૂકી જતો રહ્યો હતો.

દુર્ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી છે. રમતા રમતા બાળકી ખુલ્લા ટાંકામાં પડી ગઈ હતી. કાસ ઢાંકણું બંધ કરી દીધું હોત તો કદાચ દૂર્ઘટના ન ઘટી હોત. પ્રાપ્ત વિગતો મુજબ પરિવાર કામ અર્થે એપોર્ટમેન્ટમાં ગયું હતું ત્યારબાદ મોડી સાંજે પરિવાર ઘેર આવ્યું અને બાળકીને જોતા ન જોવા મળતા શોધખોળ શરૂ કરી હતી ત્યારે પાણીની ટાંકી ખુલ્લી દેખાતા ત્યાં તપાસ કરતા બાળકી ડૂબેલી જોવા મળી હતી.

પરિવારે તાત્કાલિક સારવાર માટે સિવિલિ હોસ્પિટલ ખેસેડી હતી પરંતુ ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનોમાં આક્રંધ છવાયો હતો અને હોસ્પિટલમાં પણ ગમગીની છવાઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments