Team Chabuk-Gujarat Desk: વડોદરામાં ફરી એકવાર કરુણાંતિકા સર્જાઈ. અહીં પંચાલ પરિવારના ત્રણ સભ્યોએ એક સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. જેમાં પત્ની અને પુત્રનું મોત થયું છે. પુત્રનો મૃતદેહ ગળેફાંસો લગાવેલી હાલતમાં મળ્યો જ્યારે પત્નીએ ઝેેરી દવા પી લેતા મોત થયાનો દાવો છે. આ ઉપરાંત પતિએ ઝેરી દવા પી લઈ જાતે જ ગળાના ભાગે બ્લેડના ઘા ઝીંકી દેતા તેઓ પણ ઝીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આવું કરવા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.
દાવો છે કે, પંચાલ પરિવાર પાસે જમવા અને રહેવા માટે રૂપિયા ન હોવાથી પરિવારનો માળો વિંખી નાખવાનો નિર્ણય કર્યો હતો. સારવારમાં લઈ જતી વખતે ઈજાગ્રસ્તે કહ્યું હતું કે, ખાવા-રહેવા માટે પૈસા તો જોઈને, મેં મારી જાતે બ્લેડના ઘા માર્યા છે.

વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળની આ ઘટના છે. અહીં રહેતા પંચાલ પરિવારના 47 વર્ષીય નયના પંચાલ અને 25 વર્ષીય પુત્ર મિતુલનું મોત થયું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ રાવપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત