Homeગુર્જર નગરીઅમદાવાદમાં બીજા નબીરાએ સર્જ્યો અકસ્માત, કારમાંથી મળી બિયરની બોટલ

અમદાવાદમાં બીજા નબીરાએ સર્જ્યો અકસ્માત, કારમાંથી મળી બિયરની બોટલ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો. મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ કાર ચલાવી હતી. નબીરાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાંકડા સાથે કાર અથડાઈ હતી. જે બાદ કાર પલટી ગઈ હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઇ જાનહાનિ ન હતી થઈ. દુર્ઘટના સમયે કારમાં ચારથી પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ કારમાંથી બિયરની બોટલો મળી આવી હોવાની વિગતો છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાતે રાજકમલ બેકરી પાસે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર બાકડા સાથે અથડાઈ હતી. બીજી બાજુ બાકડા પર લોકો પણ બેઠા હતા પરંતુ તેઓ કાર આવતી દેખાતા ત્યાંથી હટી ગયા હતા. જો તેઓ બાકડાથી ઉભા થવામાં થોડી પણ વાર કરતા તો વિચારી પણ ન શકાય. સદનસીબે ત્યાં બેઠેલા કોઇને પણ કોઇ ઇજા થઇ નથી.

Ahmedabad maninagar Car Accident


સ્થાનિકોનું ટોળી ભેગુ થઇ ગયું હતુ. જ્યાં લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતુ કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં છે. જેના કારણે જ તેઓએ આ અકસ્માત કર્યો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર આવીને કારમાં તપાસ કરી હતી. આ કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments