Team Chabuk-Gujarat Desk: અરવલ્લી જિલ્લામાં આજે એક દુઃખદ ઘટના બની છે. હોમગાર્ડની ભરતી માટે આવેલા એક યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છો. હાલ રાજ્યમાં હોમગાર્ડ જવાનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે નોકરીની આશાએ આવેલા એક યુવકનું અચાનક નિધન થયું છે.
મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના સરડોઈ, ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રણેય વિસ્તારોમાંથી 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર નામનો 25 વર્ષીય ઉમેદવાર પણ ભરતી થવા માટે આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં શારીરિક કસોટી આપી દીધા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. વેરિફિકેશન દરમિયાન યુવકને અચાનક ચક્કર આવતાં તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
