Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં વંથલી-સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના ASIનું મોત થયું છે. જ્યારે આ અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માતમાં ઈજા પામેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો બુકડો બોલી ગયો છે. તો અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના વંથલી પાસે ઓજત નદી પર બનેલા પુલ પર બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક કારમાં મુસાફરી કરી રહેલા રાજકોટના ASI પંકજ દીક્ષિત ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પંકજ દીક્ષિતને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેઓએ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સ્થળેથી નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂ તથા ડ્રાઈવર મહેશ છુછર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એવામાં તેમણે પોલીસ વાનમાં 2 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
જ્યારે અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તોને 108 મારફતે જૂનાગઢ હોસ્પિલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વંથલી-સોમનાથ બાયપાસ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પોલીસ પણ લોકોને અકસ્માત રોકવા માટે જાગૃત કરતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
